Step into an infinite world of stories
Personal Development
છેલ્લાં ત્રણ દશકોથી પણ વધારે સમયથી એક નોકરશાહ અને પચ્ચીસ વર્ષોથી પણ વધારે સમયથી ભારતીય રાજનીતિના એક મુખ્ય ખેલાડી રહેલા કુંવર નટવર સિંહની શાનદાર કારકિર્દી, સ્વતંત્ર ભારતની સર્વાધિક મહત્ત્વપૂર્ણ તેમજ ઉલ્લેખનીય ઘટનાઓને કારણે અલ્પવિરામ મેળવતા રહ્યા છે. વિદેશી મામલાઓમાં મંત્રાયલના સંબદ્ધ હોવાને કારણે કારણે, કુંવર નટવર સિંહના કાર્યોમાં એક આ કાર્ય પણ સામેલ હતું કે તેઓ ચોઊ એન-લાઇના વિનાશક ભારત પ્રવાસના સમયે, સંપર્ક અધિકારીના રૃપમાં કાર્ય કરે, જે દરમિયાન જવાહર લાલ નેહરૂ તથા ચૌઊ એન-લાઈની વાર્તા અસફળ રહી અને સીનો-ઇન્ડિયન સંબંધ ઉત્તરોત્તર પતનશીલ થતાં ચાલ્યા ગયા, જેમનું સમાપન ૧૯૬૨માં થયેલા યુદ્ધમાં જઈને થયું.૧૯૭૧માં, નટવર સિંહજીને પોલેન્ડ માટે રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યાં એમણે નવી દિલ્લીની સુરક્ષા સંસ્થાઓને સામરિક મહત્ત્વના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સ્થાનાંતરિત કરીને, બાંગ્લાદેશના નિર્માણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવી. જો કે, કુંવર નટવરજીની મહાન ઉપલબ્ધિની ક્ષણ ૧૯૮૩માં આવી, જ્યારે એમણે એક જ વર્ષમાં, બે વિશાળ તેમજ સફળ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું આયોજન કર્યું- ધી કૉમનવેલ્થ હૈડ્સ ઑફ ગવર્નમેન્ટ મિટિંગ તથા નૉન-એલાઇન્ડ મૂવમેંટ સંમેલન. કુંવર નટવરસિંહે ૧૯૮૪માં નોકરશાહીથી ત્યાગપત્ર આપી દીધું અને રાજનીતિમાં સામેલ થઈ ગયા. એમણે રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં અનેક મંત્રાલયોમાં કાર્ય કર્યું. તેઓ શ્રીલંકાના મામલાઓમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા હસ્તક્ષેપના મર્મભેદી હતા, જેના ભયંકર પરિણામ સામે આવ્યા. કૉંગ્રેસના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવોના સાક્ષી રહ્યા, કે. નટવર સિંહ, ૯૦ના દશક દરમિયાન પાર્ટીની આંતરિક ઉથલ-પુથલનો પણ હિસ્સો રહ્યા, જ્યારે આખી સત્તા અંતે સોનિયા ગાંધીની પાસે આવી ગઈ.
--------
તેઓ એ થોડા લોકોમાંથી છે, જેઓ તે વાસ્તવિક કારણ જાણે છે, જેના કારણે સોનિયા ગાંધીએ ૨૦૦૪માં મનમોહન સિંહને પ્રધાનમંત્રી પદ સોંપ્યું. કે. નટવર સિંહજીએ સાર્વજનિક જીવનમાં ખૂબ જ લાંબી તથા અનેક ઘટનાઓથી યુક્ત ઇનિંગ્સ રમી છે, જો કે, તેઓ વિવાદથી પણ અપરિચિત નથી રહ્યા. 'એક જ જિંદગી પર્યાપ્ત નથી', એક ભરપૂર તથા સાર્થક રૃપથી જીવવામાં આવેલા જીવનનો નિષ્પક્ષ તેમજ પ્રામાણિક દસ્તાવેજ છે, જે ભારતીય રાજનીતિના મંચની પાછળ ઘટેલા દૃશ્યોનું પણ સચોટ વર્ણન કરે છે. -------------------------- કુંવર નટવરસિંહ એક રાજનયિક, રાજનીતિજ્ઞ તથા લેખક છે, જેમણે ૨૦૦૪-૦૫માં યુપીએ સરકારના અધીન ભારતના વિદેશી મામલાઓના મંત્રીના રૃપમાં પોતાની સેવાઓ આપી છે. એમને ૧૯૮૪માં, ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
© 2022 Storyside IN (Audiobook): 9789354836459
Release date
Audiobook: 31 January 2022
English
India