Bakshinama Chandrakant Bakshi
ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાય એવી જે ગણીગાંઠી કૃતિઓ પ્રગટ થઈ છે એમાં સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ કૃત ‘ભદ્રંભદ્ર’નું સ્થાન વિરલ છે. સનાતની, અંધશ્રદ્ધાળુ, જુનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી આ કૃતિના કથાવસ્તુને આજે ઘણા લોકો સંદર્ભબાહ્ય ગણાવવા પ્રેરાય છે; પરંતુ અમુક હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક આગ્રહોને જીવન-મરણનો પ્રશ્ન બનાવીને ગંભીરતાથી વળગી રહેતાં તત્ત્વો યુગેયુગે પ્રગટતાં જ રહે છે. આવાં ડોળઘાલુ તત્ત્વોની પર્દાફાશ કરતી આ કૃતિની સાર્થકતા, આમ, શાશ્વત છે.
© 2021 Storyside IN (Audiobook): 9789354340871
Release date
Audiobook: 1 March 2021